Dark Mode
Tuesday, 15 July 2025
Logo banner

અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું: 5 લોકોના મોત: ઘટના સ્થળ નજીક 10-12 હજાર શ્રદ્ધાળુઓ હોવાનો અંદાજ

અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું: 5 લોકોના મોત: ઘટના સ્થળ નજીક 10-12 હજાર શ્રદ્ધાળુઓ હોવાનો અંદાજ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યાંની ઘટના બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં અનેક લોકોને અસર થઈ છે. અહીં ઓછામાં ઓછા 10થી 12 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત છે. આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

NDRF અને SDRFની ટીમ રાહત તથા બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે.વાદળ ફાટ્યાં બાદ પાણીનો પ્રવાહ ટેન્ટ નજીકથી વહેવા લાગ્યો હતો. જેને લીધે શ્રદ્ધાળુઓમાં ભારે દહેશત સર્જાઈ હતી. પૂરાના પાણીમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. આ ઘટના અમરનાથ ગુફાથી લગભગ દોઢ કિમી અંતરે બની છે.

વાદળ ફાટવાની ઘટના આશરે 5:30 વાગે સર્જાયા બાદ ગુફા નજીક મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું: 5 લોકોના મોત: ઘટના સ્થળ નજીક 10-12 હજાર શ્રદ્ધાળુઓ હોવાનો અંદાજ

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!