અમરનાથની યાત્રાએ પહેલું જૂથ રવાના: આવતીકાલથી બાબાના દિવ્યદર્શન શરૂ
બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું ભગવતીનગર : જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ મનોજસિંહાએ યાત્રાળુઓને વિદાય આપી: યાત્રાળુઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા
અમરનાથ યાત્રાનું પહેલું જૂથ આજે અમરનાથ યાત્રાએ રવાના થયું હતું. આવતીકાલ એટલે કે તા.30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. 43 દિવસની આ અમરનાથ યાત્રા કોરોના અંતરાલ બાદ તેમજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પહેલી વાર યોજાઈ રહી છે. 30 જૂનથી 11 ઓગષ્ટ સુધી ચાલનારી આ અમરનાથ યાત્રાનું પહેલુ જૂથ આજે જમ્મુથી રવાના થયું હતું.
તે આવતીકાલે 30 જૂને અમરનાથના દર્શન કરશે. આ અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓના બચાવ માટે પ્રથમ વખત કેન્દ્રની 350 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સીએપીએફના 40 હજારથી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન, સીસીટીવી કેમેરા દ્વારા યાત્રા પર નજર રખાઈ રહી છે. ઉપરાજયપાલ મનોજ સિંહાએ બધા શિવભકતોને યાત્રામાં જોડાયેલા ભકતોને અભિનંદન આપી વિદાય આપી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
