Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજસ્થાનના CM અશોક ગેહલોતના ભાઈ અગ્રસેનના ત્યાં CBIના દરોડા

રાજસ્થાનના CM અશોક ગેહલોતના ભાઈ અગ્રસેનના ત્યાં CBIના દરોડા

અગ્રસેન ગેહલોત પર યુપીએ સરકાર દરમિયાન વર્ષ 2007થી 2009 દરમિયાન સબસિડીવાળા ખાતરની નિકાસ કરવાનો આરોપ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેનના અનેક ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડો પાડ્યો છે. અગ્રસેનના જોધપુર સ્થિત આવાસ ખાતે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સીબીઆઈના અધિકારીઓ તેમના મંડોર ખાતેના મકાનમાં પણ શુક્રવાર સવારથી તપાસ કરી રહ્યા છે. અગાઉ ઈડી દ્વારા પણ આ પ્રકારે દરોડો પાડવામાં આવેલો છે. જોકે હજું સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, સીબીઆઈ દ્વારા ખાતર કૌભાંડ મામલે દરોડો પાડવામાં આવ્યો છે કે, અન્ય કોઈ કેસ અંતર્ગત કાર્યવાહી થઈ રહી છે.


અગ્રસેન ગેહલોત પર યુપીએ સરકાર દરમિયાન વર્ષ 2007થી 2009 દરમિયાન સબસિડીવાળા ખાતરની નિકાસ કરવાનો આરોપ છે. ખેડૂતોને સબસિડી પર મળતા મ્યુરિએટ ઓફ પોટાશની વિદેશમાં નિકાસ કરવા મામલે કસ્ટમ ડિપાર્ટમેન્ટે અગ્રસેન ગેહલોતને 60 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં અગાઉ ઈડીએ પણ તેમના ઘર સહિતના સ્થળોની તપાસ કરી હતી. ઉપરાંત ગત વર્ષે સપ્ટેમ્બર મહિના દરમિયાન આશરે 7 કલાક સુધી તેમની પુછપરછ ચાલી હતી.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાન રાજ્યસભાની 3 બેઠકો પર મળેલા વિજય બાદ ઉત્સાહિત છે તેવા સમયે જ આ દરોડો પાડવામાં આવ્યો છે. અશોક ગેહલોત હાલ દિલ્હીમાં ઈડી દ્વારા રાહુલ ગાંધીની પુછપરછ કરવામાં આવી તે દરમિયાન જે વિરોધ પ્રદર્શનો થયા તેમાં સક્રિય જણાયા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!