Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

માનવત લાજે એવું કૃત્ય: કર્ણાટકના બેલગાવી જિલ્લામાં નાલામાંથી મળ્યા સાત નવજાતના મૃતદેહ

માનવત લાજે એવું કૃત્ય: કર્ણાટકના બેલગાવી જિલ્લામાં નાલામાંથી મળ્યા સાત નવજાતના મૃતદેહ

લીંગ પરિક્ષણ કર્યા બાદ હત્યા કરી દેવાયાની આશંકા: જબરો ખળભળાટ

કર્ણાટકના બેલગાવી જિલ્લાના મુદાલગી શહેરના બહારના વિસ્તારમાં આવેલા એક નાલામાંથી સાત નવજાતના મૃતદેહ બોટલમાં બંધ હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ મામલે મુદલાગી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી મહેશ કોનીએ જણાવ્યું કે આ પાંચ મહિનાના ભ્રુણને લીંગ પરિક્ષણ બાદ ફેંકી દેવામાં આવ્યા હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસે દોડી જઈ ઘટનાસ્થળનું નિરીક્ષર કરી ગુનો નોંધ્યો છે. બીજી બાજુ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ ઘટનાની ઉંડી તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે.

જિલ્લા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અધિકારી ડૉ.મહેશ કોનીએ જણાવ્યું કે નાલામાંથી સાત ભ્રુણ મળી આવ્યા છે. આ ભ્રુણ પાંચ મહિનાના હોવાની અને આશંકા છે. લીંગ પરિક્ષણ કરાવ્યા બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હોઈ શકે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!