રાષ્ટ્રધ્વજના વેચાણ પર GST લાગુ નહી પડે: હર ઘર ત્રિરંગા અભિયાન પુર્વે જ નાણાંમંત્રાલયની જાહેરાત
હર ઘર ત્રિરંગા અભિયાન પુર્વે જ નાણાંમંત્રાલયની ચોખવટ
નાગરીકોની રાષ્ટ્રભાવના પ્રગટ કરતા રાષ્ટ્રધ્વજના વેચાણને જીએસટીમાંથી મુક્તિ આપવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે. હાથ બનાવટના હોય કે મશીનથી ઉત્પાદીત તમામ પ્રકારના રાષ્ટ્રધ્વજને જીએસટીમાંથી મુક્તિ રહેશે.
કેન્દ્રીય મહેસુલ વિભાગે જારી કરેલા પરિપત્રમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે પોલીયેસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજ પણ જીએસટીમાંથી મુક્ત રહેશે. કેન્દ્ર સરકારે ગત ડિસેમ્બરમાં ફલેગકોડ ઓફ ઈન્ડિયા 2002માં સુધારો કર્યો હતો જે અંતર્ગત જીએસટી મુક્તિ રહેશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની ઓફીસ દ્વારા પણ ટવીટ મારફત એમ જણાવાયું છે કે ભારતના રાષ્ટ્રધ્વજ જીએસટીમાંથી મુક્ત રહેશે તે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા સ્કીમ જાહેર કરી છે તેવા સમયે નાણામંત્રાલયે રાષ્ટ્રધ્વજના વેચાણ પર જીએસટી લાગુ ન પડતુ હોવાનું ચોખવટ કર્યુ છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
