રેસ્ટોરામાં ઉઘરાવાતા સર્વિસ ચાર્જને ગ્રાહક ફોરમમાં પડકારી શકશે
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરશે
કેન્દ્ર સરકારે હોટલ અને રેસ્ટોરામાં લેવાતા સર્વિસ ચાર્જને ગેરકાયદે ગણાવીને આવો ચાર્જ નહીં વસૂલવાની સૂચના જાહેર કરી હોવા છતાં સર્વિસ ચાર્જ ઉઘરાવવામાં આવે જ છે ત્યારે આ મામલે ગ્રાહકોને કાયદાકીય રક્ષણ પુરું પાડવા માટે તૂર્તમાં નવી માર્ગદર્શિકા જાહેર કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના સુત્રોએ જણાવ્યું કે હોટલ કે રેસ્ટોરામાં ખાદ્ય ચીજોની કિમત કરતાં અન્ય કોઇપણ પ્રકારનાં ચાર્જ વસૂલી શકાતા નથી. ટીપ આપવી કે નહીં તે પણ ગ્રાહકો પર નિર્ભર છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા આવતા થોડા દિવસોમાં જ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. કોઇપણ પ્રકારનો સર્વિસ ચાર્જ બીલમાં ઉમેરી નહીં શકાય તે સ્પષ્ટ કરવામાં આવશે.
એટલુ જ નહીં ગ્રાહક સુરક્ષા ધારામાં પણ ગ્રાહકો પડકારી શકે તેવી જોગવાઈ કરવામાં આવશે. વર્તમાન ગ્રાહક સુરક્ષા કાયદામાં રેસ્ટોરામાં વસૂલાતા સર્વિસ ચાર્જને પડકારવાની કોઇ જોગવાઈ નથી.2017ની માર્ગદર્શિકા માત્ર સલાહ પ્રકારની જ છે અને તેમાં સર્વિસ ચાર્જ બીલમાં દર્શાવવાનું પણ વૈકલ્પિક છે.
રેસ્ટોરા બીલમાં સર્વિસ ચાર્જ નહીં વસૂલવાની સૂચનાના મામલે ગ્રાહકો અને રેસ્ટોરા સંચાલકોમાં પણ ગુંચવણ ઉભી થઇ છે. ઉદ્યોગ પ્રતિનિધિઓને સરકારે અગાઉ જ સ્પષ્ટ કહ્યું હતું કે સર્વિસ ચાર્જ ઉઘરાવવાનું કાયદેસર નથી. આ સંજોગોમાં હવે સરકાર દ્વારા વિસ્તૃત અને સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
