Dark Mode
Tuesday, 15 July 2025
Logo banner
વિધાનસભાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકો માટે ભાજપના પ્રભારીઓની જાહેરાત

વિધાનસભાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકો માટે ભાજપના પ્રભારીઓની જાહેરાત

ગુજરાત વિધાનસભાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી માટે વિધાનસભાની સીટ વાઇઝ પ્રભારીઓ જાહેર કરવાની ભાજપે શરૂઆત કરી છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતના પ્રભારીઓ જાહેર કરાયા બાદ આજે સૌરાષ્ટ્રની 48 બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટાભાગે પ્રભારી તરીકે જાણીતા ચહેરાઓને સ્થાન આપવામાં આવતું હોય છે પરંતુ આજે જાહેર કરાયેલા લિસ્ટમાં મોટાભાગે નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે.

રાજકોટ શહેરમાં પ્રદીપભાઈ વાળા, લાલજીભાઈ સોલંકી અને વસુબેન ત્રિવેદીને મૂકવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં ચંદ્રેશભાઇ પટેલ, ભગવાનજીભાઈ કરગટિયા, હર્ષદભાઈ દવે, વિનુભાઈ કથીરિયા, સંજયભાઈ કોરડીયાનો સમાવેશ કરાયો છે.પૂર્વ કોર્પોરેટર અને મહાનગરપાલિકાની કમિટીના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ દુધાત્રાને સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રભારીઓના લિસ્ટમાં મોટા ભાગના જૂના ચહેરાઓ જોવા મળતા નથી અને તેના સ્થાને નવાને તક આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ સાવલિયાને મોરબી જિલ્લાની વાંકાનેર બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય ચિમનભાઇ સાપરીયાને પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠકના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ કિસાન મોરચાના મંત્રી અને રાજકોટના વિજય કોરાટને જૂનાગઢ જિલ્લાના કેશોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!