Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરૂં ભરાયું: આજે સાંજે મગસનો મનોરથ ધરાશે

સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરૂં ભરાયું: આજે સાંજે મગસનો મનોરથ ધરાશે

અમદાવાદમાં 145મી જગન્નાથજીની રથયાત્રાની ચાલતી તડામાર તૈયારીઓ

1 જુલાઈ અષાઢી બીજના દિવસે જગતનો નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે. જગન્નાથપુરી બાદ અમદાવાદની જગન્નાથ યાત્રા પણ તેટલી જ પ્રસિદ્ધ છે. તેવામાં શહેરમાં આવેલા જગન્નાથ મંદિરથી નીકળનારી આ 145મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ ભગવાન હાલ સરસપુર ખાતે પોતાના મામાના ઘરે પહોંચ્યા છે.

કોરોનાના મહામારીના બે વર્ષ બાદ ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ ભગવાન અત્યારે સરસપુર ખાતે તેમના મામાના ઘરે છે. જ્યાં ભગવાનની ભવ્ય આગતા સ્વાગતા અને તેમને લાડ લડાવવામાં આવી રહ્યા છે. રોજ અવનવી વાનગીઓ તેમને પીરસવામાં આવી રહી છે.

ત્યારે આજે સાંજે તેમને મગસનો મનોરથ ધરાવવામાં આવશે. આશરે 700 કિલો જેટલો મગનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે ભગવાનને આજે મનોરથ કરાવ્યા બાદ પ્રસાદરૂપે લોકોને આ મગસના લાડુ આપવામાં આવશે. આ દરમિયાન ગઈકાલે ભગવાનનું મામેરૂ ભરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ 1 જુલાઈ અષાઢી બીજના રોજ નગરયાત્રાએ નીકળશે. અમદાવાદમાં આ તેમની 145મી નગરયાત્રા બનશે. આ દરમિયાન રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ દ્વારા રથયાત્રાના રુટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

નોપાર્કિંગ ઝોન
આગામી 30મી જૂન અને 1લી જુલાઈના રોજ શહેરના આ વિસ્તારોનો પાર્કિંગ ઝોનમાં હશે. જેમાં જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ખમાસા, ગોળ લીમડા, આસ્ટોડિયા ચકલા, મદન ગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુંવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકેથી માણેકચોક શાકમાર્કેટ, દાણા પીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીનો રસ્તો નો પાર્કિંગ ઝોન રહેશે.

ટેકનોલોજીનો ઉપયોગ
તો આ વખતે રથયાત્રામાં પોલીસ વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. પહેલીવાર રથયાત્રામાં પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું મોનિટરીંગ કરવામાં આવશે. જે માટે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર 3 કલાક માટે ભાડે રાખવામાં આવશે.જે રથયાત્રાના રૂટ પર 150 મીટરની ઉંચાઈથી ઉડશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!