Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

યોગ દિવસ: રાજકોટમાં પૂર્વ CM રૂપાણી, વજુભાઈ વાળા અને રાજ્યસભાના MP મોકરિયાએ તો ખોડલધામમાં નરેશ પટેલે યોગ કર્યા

યોગ દિવસ: રાજકોટમાં પૂર્વ CM રૂપાણી, વજુભાઈ વાળા અને રાજ્યસભાના MP મોકરિયાએ તો ખોડલધામમાં નરેશ પટેલે યોગ કર્યા

આજે આઠમો વિશ્વ યોગ દિવસ છે. ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી RKC કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા સહિતના નેતાઓ અને આગેવાનોએ યોગ કર્યા હતા. તેમજ કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓએ પણ યોગ કર્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ 3 જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાએ પણ યોગ કર્યા હતા. બીજી તરફ ખોડલધામમાં નરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 645 જગ્યાએ 4.50 લાખ જેટલા લોકોએ યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે.

ખોડલધામ મંદિરે સતત છઠ્ઠા વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી
રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત યાત્રાધામ ખોડલધામ મંદિરમાં પણ વિશ્વ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ખોડલધામ મંદિરે સતત છઠ્ઠા વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાના કારણે વર્ચ્યુઅલ ઉજવણી કરાઈ હતી. જ્યારે આજે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ઉજવણી કરાઇ હતી. મંદિરમાં દર વર્ષે વિશ્વ યોગ દિવસ પર અલગ અલગ વિષય પર માર્ગદર્શન પણ અપાઇ છે. ત્યારે આજે માનવ શરીરમાં મહત્વનું કરોડરજ્જુ પર વિશેષ યોગ કર્યા હતા. અત્યારની ભાગદોડભરી જિંદગીમાં કરોડરજ્જુના પ્રશ્નો વધી રહ્યા છે ત્યારે યોગના નિષ્ણાંતો દ્વારા કરોડરજ્જુની સમસ્યા દૂર થાય તે માટે ખાસ માહિતી સાથે યોગ પણ કરાવ્યા હતા, સાથે યોગનો લાભ મળે તે માટે ઓનલાઈન યોગ શિબિરનું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.

 

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!