Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ભારત -ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી બાદ આજથી વનડે શ્રેણીની શરૂઆત

ભારત -ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી બાદ આજથી વનડે શ્રેણીની શરૂઆત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી બાદ આજથી વનડે શ્રેણી શરૂ થશે. પ્રથમ મેચ ઓવલ મેદાન પર સાંજે 5.30 કલાકે શરૂ થશે. ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતે T20I શ્રેણીમાં જબરદસ્ત પુનરાગમન કર્યું અને શ્રેણી 2-1થી જીતી લીધી. હવે ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી જીતવાનો પડકાર રહેશે. જો કે તમામ ધ્યાન ટી20 વર્લ્ડ કપ પર છે. આમ છતાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શિખર ધવન જેવા બેટ્સમેનો માટે આ સીરીઝ ઘણી મહત્વની છે.

ભારતે ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધીમાં 10 વનડે જીતી છે, પરંતુ ઈંગ્લેન્ડની ધરતી પર માત્ર ત્રણ શ્રેણી જીતી છે. છેલ્લી વખત આઠ વર્ષ પહેલા 2014માં ઈંગ્લેન્ડમાં 3-1થી જીત મેળવી હતી.

ઈંગ્લેન્ડે ભારત સામે અત્યાર સુધીમાં આઠ શ્રેણી જીતી છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની નજર સીરીઝ જીતવા પર રહેશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ટીમે પોતાનું આક્રમક વલણ જાળવી રાખવું જોઈએ. ઈંગ્લેન્ડે તેની આક્રમક રમતથી વર્ષોથી ODI ક્રિકેટ રમવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે. ટીમને તેનો ફાયદો 2019 વર્લ્ડ કપ જીતીને મળ્યો. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપને જોતા રોહિત કહે છે કે ટીમની દરેક મેચ હવે સફેદ બોલના ફોર્મેટમાં મહત્વની રહેશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!